Feb vasannt Vibes
વસંત :
જે જીવનમાં વસંત લાવે એ જ સંત.
ભારત ઋતુઓની બાબતમાં સમૃદ્ધ છે. કુદરતે ભારતને રમ્ય ઋતુઓની વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ , વર્ષા અને શરદ જેવી છ ઋતુઓ વર્ષભર વાતાવરણને નવીનતાથી ભરી દે છે. દરેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય છે.એમાં પણ વસંતને ઋતુરાજ કહી છે.
ભારતમાં વસંત શિયાળા અને ઉનાળાની વચ્ચે માર્ચ, એપ્રિલ અને મેમાં આવે છે. તે તમામ ઋતુઓનો રાજા માનવામાં આવે છે અને યુવાની પ્રકૃતિ તરીકે પ્રખ્યાત છે.
અલબેલી વસંત એટલે સૃષ્ટિનો શણગાર , ઋતુનો રાજા એટલે વસંત.
માનવીને પોતાનો અસ્વસ્થ દેહ સ્વસ્થ બનાવવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં જવુ જોઈએ. કુદરતના સાનિધ્યથી માનવના શરીરમાં સ્ફૂર્તિ, મનમાં ઉલ્લાસ, બુધ્ધિમાં પ્રસન્નતા અને હૃદયમાં ચેતના પ્રગટ થાય છે.
એમાંય વસંતનો ઉત્સવ અમર આશાવાદનુ પ્રતીક છે.
નિરાશાથી ઘેરાયેલા જીવનમાં વસંત આશાનો સંદેશો લાવે છે. વરસાદ વગર સૃષ્ટિને પુન: નવપલ્લવિત કરવાનો પ્રભુનો ચમત્કાર વસંતમાં સાકાર થતો જોવા મળે છે. જે જીવનમાં વસંત લાવે એ જ સંત.
કૂણી કૂંપળો ફૂટે છે અને પવન એ કૂંપળો ને નચાવે છે. ચોતરફથી મંદ મંદ વાયુ લહેરાય છે. સૃષ્ટિ પોતાની સમૃદ્ધિ સાથે આ પ્રાકૃતિક મેળામાં હાજર થાય છે. અંગેઅંગ જાણે નૃત્ય કરતું હોય એમ લાગે છે.
માત્ર પ્રકૃતિ કે પશુ-પક્ષી નહીં માનવ ઉપર પણ વસંતનો અનેરો જાદુ થાય છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાઓને હચ મચાવી મૂકે છે. નર-નારીઓ ઉલ્લાસભેર ફાગ ખેલે છે
હું પણ બાકી નથી રહ્યો , મુગ્ધ થયો છું આ વસંતથી , બસ બનાવી દીધું આ એક પેઈન્ટીંગ .